
Vadodara Harni Lake Insident : વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં 25થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં 12 વિધાર્થીઓ તેમજ 2 શિક્ષકોના મોત થયા છે. જ્યારે અન્ય વિધાર્થીઓની શોધખોળ ચાલુ છે. બોટિંગ કરતા સમયે બોટ પલટી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા. જેથી મદદ પહોંચે તે પહેલા જ બાળકો સહિત શિક્ષકોનું મોત નિપજ્યું હતું.
PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, "વડોદરાના હરણી તળાવમાં હોડી ડૂબી જતાં થયેલા મૃત્યુથી હું વ્યથિત છું. આશા છે કે, ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જશે. સ્થાનિક તંત્ર દ્વારા પીડિતોને શક્ય તમામ મદદ પહોંચાડાઈ રહી છે. વડાપ્રધાન ફંડમાંથી દરેક મૃતકના પરિવારને રૂપિયા બે લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય અપાશે."
આ સમગ્ર ઘટનાને પગલે કલેક્ટર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યાનો પણ ખુલાસો થયો છે. જો કે, ફાયર વિભાગની ટીમ વિદ્યાર્થીઓની શોધખોળ કરી રહી છે.
ન્યુ સનરાઈઝ સ્કૂલના વિધાર્થીઓ ડૂબ્યા હોવાની માહિતી મળી છે, માહિતી અનુસાર બોટમાં લોકોની ક્ષમતા 14ની હતી પણ નિયમોનું ઊલંઘન કરતાં બોટમાં 23 બાળકો, 4 શિક્ષક અને 4 સ્કૂલ સ્ટાફને બેસાડવામાં આવ્યાં હતાં. એકાએક બોટ તળાવમાં પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો. જેમાં 10થી વધુ વિધાર્થીઓનું અને 2 ટીચરનું મોત થયું છે. 13 બાળકો અને 2 ટીચરનું રેસક્યૂ કરવામાં આવ્યું છે. જ્હાનવી હોસ્પિટલમાં 9 અને સયાજી હોસ્પિટલમાં 5 મોત થયાં જ્યારે 1 બાળકની હાલત ગંભીર છે. હજુ સુધી 6 બાળકો અને 1 શિક્ષક લાપતા છે. વડોદરાની આ દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર તેમજ સ્કૂલ પર પણ વાલીઓ દ્વારા આરોપ મૂકવામાં આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓના પ્રવાસને લઈને શાળા સામે ઉભા સવાલો થયા છે.
આ ઘટનાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે કે, હરણી તળાવની દુર્ઘટનાને લઈને ખૂબ વ્યથિત છું. કાળ જ્યારે માસૂમ બાળકોને માતાપિતા પાસેથી છીનવી લે ત્યારે તેમના હૃદય પર શું વીતે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તંત્ર સાથે સતત સંકલનમાં છું અને અન્ય કાર્યક્રમ સ્થગિત કરીને વડોદરા જવા નીકળી રહ્યો છું. હાલ તંત્ર દ્વારા તાકીદે રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. વધુને વધુ જીવન બચાવી શકાય તેવી આપણા સૌની લાગણી અને પ્રાર્થના છે.
શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે કહ્યું કે, આ ઘટના બની છે જે ખૂબ જ દુ:ખદ છે, જે દીપકો ગુમાવ્યા છે તે માતા-પિતાને ભગવાન દુ:ખ સહન કરવાની શક્તિ આપે. આવી ઘટના ન બનવી જોઈએ તેમજ માત-પિતા આવી બાબતોમાં શિક્ષકો અને આયોજકોના ભરોશે મુક્તા હોય છે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તેમણે કહ્યું કે, તળાવમાં સફર કરવાની હોય તો કમસેકમ લાઈફ જેકેટ વિદ્યાર્થીઓને પહેરાવવું જોઈએ, જેમાં કંઈ શરત ચૂક થઈ છે તેવું મને જાણવા મળ્યું છે. આ બાબત ગંભીર છે ત્યારે અમે હકીકત લક્ષી રિપોર્ટ મેળવીશું ત્યારબાદ નીતિ નિયમો મુજબ કાર્યવાહી કરીશું.
તો આ તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને કહ્યું કે, વડોદરાના હરણી તળાવમાં બોટમાં પર્યટન માટે ગયેલ શાળાના બાળકો તથા શિક્ષકોના બોટ પલટવાની દુર્ઘટનામાં ડૂબી જવાના સમાચાર ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું તથા તેમના પરિવારોને સાંત્વના પાઠવું છું. ઈજાગ્રસ્તો જલદી સાજા થાય અને ભોગ બનેલા તમામના પરિવારોને હિંમત મળે તેવી પ્રભુ પ્રાર્થના.
બોટ પલટી જવા મામલે પોલીસ કમિશનર કહ્યું કે, પ્રાથમિક માહિતી મુજબ 23 બાળક અને 4 શિક્ષક બોટમાં સવાર હતા. લાઈફ જેકેટ પહેરેલા 11 જેટલા લોકોનું રેસ્ક્યૂ થયું છે. જેમાંથી 7 જેટલા લોકોને જુદી-જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલાયા છે. જ્યારે અન્ય લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. પાણીમાં સેવાળ હોવાથી તરવૈયાઓને મુશ્કેલી પડી રહી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - તાજા ખબર સમાચાર - લેટેસ્ટ ન્યુઝ - ગુજરાતીમાં તાજા સમાચાર - Vadodara - Surat - Rajkot - Ahmedabad - Gandhinagar - Gujarat News - Harni Lake Insident - 13 students And 2 Teacher drowned in harani lake vadodara - vadodara harni lake boat had capacity of 14 people but 31 were travelling 15 died